Some Thoughts on Reservation system in India - જ્ઞાતી આધારિત અનામત પર વિચાર
ભાઈઓ, ચાલો ૫ મિનિટ માટે થોડુ લૉજિકલી વિચારીઍ. જ્ઞાતી આધારિત અનામત ની શરૂઆત કોણે કરી? કૉંગ્રેસ પાર્ટી ઍ. બરાબર? સત્તામા બની રેહવા માટે આ પર્ફેક્ટ પગલુ હતુ. કઈ રીતે? જુઓ. જ્યારે અનામત ચાલુ કર્યુ ત્યારે ગરીબોના મસીહા તરીકે નામના મળી અને સાથોસાથ સત્તા પણ. પણ આટલુ જે નહી, માત્ર ઍ વર્ષ કે ૫-૧૦ વર્ષ માટે નહી, આ અનામત ના મુદ્દાથી કૉંગ્રેસ પાર્ટી ની આવનારા દશકાઓ સુધી સત્તામા રેહવાંનુ લાયસન્સ મળી જવાનુ હતુ ઍ આ પાર્ટી ની સારી રીતે ખબર હતી. કાઇ રીતે? ચાલો સમજીયે. અનામત પ્રથા શરૂ કરી ત્યારે તો ગરીબોના મસીહા તરીકે નામના મળી જ ગઈ. ઍટલે સત્તા પાકી. પણ પછી? પછી ના ૧૦ વર્ષ બાકીની જ્ઞાતીઓ જેમને અનામત નો લાભ નથી મળ્યો ઍમને ધીરે ધીરે અનામતનો લાભ આપો. ઍટલે પાછા આવતા ૧૦-૧૫ વર્ષ સત્તા પાકી. પછી ઍક સમય પછી જ્યારે ઍવી પરિસ્થિતિ આવે કે લોકોને આ પધ્ધતિ ના નુકસાન બહુ ખરાબ રીતે અનુભવ થવા માંડે ઍટલે અમુક જ્ઞાતીઓ આ પદ્ધતિનો વિરોધ કરશે. જેમ કે પટેલ, બ્રાહ્મણ કેમ કે ઍમને આ પદ્ધતીના કારણે બહુ મોટા નુકસાન ભોગવવા પડે છે. હવે જો આ પ્રકારના વિરોધ થાય ત્યારે જે તે રાજ્ય મા કૉંગ્રેસ સત્તા મા હોય તો તો આ વિરોધ ને ગમે તે ર...